
જ્વાળામુખીના પથ્થરની પ્રાચીન વાવ કોસમ ગામ વિજયનગર સાબરકાંઠા કોસમ ગામ વિજયનગર સાબરકાંઠા માં આવેલ જ્વાળામુખીના પથ્થરની પ્રાચીન વાવ :-.વિજયનગર (સાબરકાંઠા ) હરણાવ નદીના કાંઠાથી છેક અરવલ્લીના ડુંગરની ઘાટીમાં પોળોના જંગલમાં 11 મી સદીથી 16 મી સદીમાં નિર્માણ પામેલા હિન્દુ – જૈન મંદિરો આવેલા છે. નૈસર્ગિક સંપદા અને પ્રાકૃતિક સૌંદર્યથી છલકાતા સ્થળની મુલાકાત જીવન સંભારણું બની રહે છે. આ બધા વૈભવ સાથે વિજયનગર – પોળોના જંગલમાં જ્વાળામુખીના પથ્થરમાંથી નિર્માણ પામેલી વાવ આવેલી છે. વિજયનગરથી પાંચ કિલોમીટરના અંતરે કોસમ ગામની ઉત્તર દિશા તરફ હિરણ્ય નદીના કિનારે આ વાવ આવેલી છે. વાવની સળંગ ભીંતો અને પગથિયા જ્વાળામુખીના પથ્થરમાંથી બનેલા છે. જ્યારે કૂવાનો ભાગ અને તેના ઉપરની કમાનો અને કેટલાક પાટડાં રેતીયા પથ્થરના છે. ભારત અને ગુજરાત માંથી પ્રાપ્ત વાવોમાં આ પ્રકારની વાવ તેના પદાર્થો અને પ્રકારને લઈને નોંધપાત્ર અને અનોખી છે. નવરાત્રી દરમિયાન અહીં ફૂલની માંડવી મૂકવાનો રિવાજ છે. સાથે હોમ હવન પણ કરવામાં આવે છે. આ વાવ અંગે ઘણી દંતકથાઓ ગામલોકોમાં પ્રચલિત છે. આ વાવની અનેક વિશેષતા હોવા છતાં એનો ચોક્ક...